કાશીધામ કાહવા ખાતે નવીન મંદિરનો ગંગાજળથી અભિષેક કરાશે...

 

 કડી તાલુકાના કાહવા ખાતે આવેલ પ્રખ્યાત યાત્રાધામ એવા કાશીધામ કાહવા ખાતે ગોગા મહારાજના નવીન નિર્માણાધીન મંદિરનો ગંગાજળથી અભિષેક કરાશે. 



મંદિરનો અભિષેક કરવા 51000 (એકાવન) લીટર ગંગાજળ ખાસ હરિદ્વાર થી લાવવામાં આવ્યું છે.
મંદિરનું મુહૂર્ત કરવામાં આવ્યું તે સમયની તસ્વીર

ગોગા મહારાજનું કાહવાં મંદિર ગુજરાત સહીત દેશ-વિદેશ માં યાત્રાધામ તરીકે ખ્યાતિ પામ્યું છે.



મંદિરનું મુહૂર્ત કરવામાં આવ્યું તે સમયની તસ્વીર

વિદ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નૂતન મંદિરનો ગંગાજળ થી અભિષેક કરવાં આવશે. તા. 14-04-2022 ગુરુવાર સવારથી તા.15-04-2022 શુક્રવાર સાંજ સુધી આ કાર્યમનું આયોજન કરેલ હોઈ ભુવાજીશ્રી રાજાબાપા તથા ભુવાજીશ્રી ભગવાનભાઇ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ