મેલડી માતાની ઉત્પત્તીની ઘણી વાતો છે. જેમાં એક વાત હું તમારી સમક્ષ રજૂ કરૂં છું. આશા રાખું છું કે, આ વાત તમને પસંદ આવશે. આ વર્તા શરૂઆતમાં થોડીક બોરીંગ લાગશે પરંતુ પછી મજા આવશે. પ્લીઝ આખી વર્તા વાંચજો....
વર્ષો રહેલા ગુજરાતમાં ભોજાણા કરીને રાજ હતું આ ભોજાણામાં રાજા ભોજ રાજ કરતા. આ ભોજાણામાં એક અંબા કરીને બ્રાહ્મણી હતી. આ અંબાને સેર માટીની હતી. દિકરાની આશાએ અંબા રોજ મહાદેવના મંદીરે દર્શન કરવા જતી. પરંતુ આ સમયગાળામાં આ રાજમાં સાત વર્ષનો દુષ્કાળ પડ્યો. આ ભોજાણા રાજમાં એકવાર 900 સાધુઓની જમાત નીકળી હતી. આ જમાતમાં એક ઝાંઝુડી ભંગી કરીને એક મહીલા હતી. આ મહીલાને 9 મહીનો જતો હતો. આ ઝાંઝુડીએ તેના બાળકને જન્મ આપીને મહાદેવના મંદીરે દીકરાને મુકીને સાધુની જમાત સાથે ત્યાંથી નીકળી જઇ કેમ કે દુષ્કાળમાં પોતાને ખાવાના ફાંફા હતા ત્યાં આ દીકરાને શું ખવડાવે.
બીજા દિવસે સવારે અંબા શંકર ભગવાનના મંદીરે આવી ત્યારે આ ઝાંઝુડીના દીકરાને જોયો. અંબાએ વીચાર્યું કે, ભગવાનને મારા ઉપર દયા આવી અને મને દીકરો આપ્યો. આ અંબે બ્રાહ્મણી આ ઝાંઝુડી ભંગીના દીકરાને લઇને ઘરે આવી. ઘરે આવીને આ દીકરાનું નામ નૂરીયો પાડ્યું. અંબાએ આ દીકરાને સારી રીતે મોટો કર્યો. આમ કરતા કરતા આ નૂરીયો સાત વરસનો થયો. અને દુષ્કાળ પણ જતો રહ્યો અને સારું વરસ આવ્યું.
સાત વરસ પછી આ 900 સાધુની જમાત પાછી ભોજાણા ગામમાં આવી. આ જમાત ભોજાણા આવી એટલે અંબાએ આ સાધુની જમાતને જમવા માટે આમંત્રણ આપ્યું. આ જમાત અંબાના ઘરે જમવા આવી. આ જમાતમાં પેલી ઝાંઝુડી ભંગી પણ ત્યાં જમવા આવી. જમતા - જમતા ઝાંઝુડીની નજર પેલા નૂરીયા ઉપર પડી. એટલે ઝાંઝુડીએ જમવાનું પડતું મુકીને અંબાને કીધું કે, આ દીકરો તારો છે કે પછી તને ક્યાંયથી મળ્યો છે??
એટલે અંબાએ કીધું કે, આ દીકરો મને મહાદેવે આપ્યો છે. એટલે ઝાંઝુડી બોલી કે, આ દીકરો મારો છે. મને મારો દીકરો આપી છે. આમ કરતા -કરતા આ અંબા અને ઝાંઝુડી વચ્ચે બોલાચાલી થઇ. બોલાચાલી બહુ ચાલી એટલે આ ઝાઝુંડીએ ભોજ રાજાના રાજમાં ફરીયાદ કરી કે, આ અંબા પાસે મારો દીકરો છે પણ તે મને આપતી નથી.
એટલે ભોજરાજાએ કીધું કે, ઝાંઝુડી આ નૂરીયો તારો દીકરો હોય તો તારી સામે સાત કપડાના પડદા રાખીયા અને આ પડદા પાછળ આ નૂરીયાને ઉભો રાખીયે. જો આ તારો જ દીકરો હોય તો તું તારૂં થાન દબાવ અને આ સાત પડદા વચ્ચેથી તારૂ દુધ આ નૂરીયાના મોઢામાં પડે તો જ તને આ દીકરો મળશે.
એટલે ઝાંઝુડીએ તેનું થાન દબાવ્યું અને સાત પડદા ચીરીને ઝાંઝુડીનું દુઃખ નૂરીયાના મોઢામાં પડ્યું. એટલે અંબા બ્રાહ્મણીએ કીધું કે, જા નૂરીયા તારૂં નખ્ખોદ જાય. તેં મને બ્રાહ્મણીને વટલાવી નાખી. અને આ અંબા ભોજાણા ગામના ધાવડીયા નામના કુવામાં પડીને મરી જઇ. અંબાએ આત્મહત્યા કરી પણ તેનો જીવ આ કુવામાં જ રહી ગયો. બીજી બાજુ આ ઝાંઝુડી ભંગી તેના દીકરા નૂરીયાને લઇ ઉજ્જૈનમાં જતી રહી. ઉજ્જૈનમાં જઇને આ ઝાંઝુડીએ નૂરીયાને મેલીવીધ્યાનો બાદશાહ બનાવવાની તૈયારીઓ શરૂ કરી.
આ વાતને દશ વર્ષ જેટલો સમય થઇ ગયો. એક દીવસ ચોસઠ જોગણીઓ ફરતી ફરતી ગુજરાતમાં આવી અને ભોજાણા ગામ પાસેથી નીકળી. આ 64 જોગણીઓએ વીચાર કરીયો કે, આપણે ચોસઠે જોગણીઓ અહીં એક મોટું તળાવ બનાવીને સ્નાન કરીને આગળ વધીએ. અને રાતના 12 વાગ્યે આ ચોસઠ જોગણીઓએ તળાવ ખોદવાનું શરૂ કરી દીધું. થોડી વારમાં એક મોટું તળાવ બનાવી દીધું. તળાવમાં પાણી ફુટ્યું અને આખું તળાવ પાણીથી ભરાઇ ગયું. જે તળાવ અત્યારે ધનતર મેવડીના મારમાં ઘોડાસર ભંમર તળાવ તરીખે ઓળખાય છે. (આ 64 જોગણીઓના ઘોડાઓએ આ તળાવ ખોદીયું હતું એટલે આ તળાવનું નામ ઘોડાસર પડ્યું)
આ તળાવ તૈયાર થયું એટલે જોગણીઓએ વીચાર્યું કે, આપણે 64 જોગણીઓ આ તળાવમાં ન્હાવા પડીએ તો આપણા કપડા, મુગઠ અને હથીયાર કોણ સાચવશે. એટલે આ 64 જોગણીએ પોતાના શરીરનો મેલ ઉતારીને એક મેલનું પુતળું બનાવ્યું. પુતળુ બની ગયું એટલે મોટી જોગણી ભગવાનના દરબાર ગઇ અને ક્રીષ્ણ ભગવાનને કીધું કે, મારે એક જીવ ની જરૂર છે. એટલે ક્રીષ્ણ ભગવાને કીધું કે, તમે જ્યાં તળાવ બનાવો છો ત્યાં બાજુમાં એક કુવો છે. આ કુવામાં એક અંબા બ્રાહ્મણી નામની બાઇનો જીવ ફરે છે. આ જીવ તમને શંકર ભગવાનની શાખે આપ્યો.
આ જોગણી કુવામાંથી અંબા બ્રાહ્મણીનો જીવ લઇને પેલા મેલના પુતળામાં નાખ્યો. પેલું મેલનું પુતળું ઉભું થયું અને આ 64 જોગણીઓ તળાવમાં સ્નાન કરવા ઉતરી. આ 64 જોગણી સ્નાન કરીને બહાર આવી અને તેમના મારગે પડી એટલે આ મેલનું પુતળું બોલ્યું કે, ઓ બુન જોગણીઓ મારી વાત સાંભળતા જાવને...
ઉજ્જૈનની મેલડી (પ્રાગટ્યની વાત) - 2
આ 64 જોગણી ઘોડાસર ભમર તળાવમાંથી સ્નાન કરીને તૈયાર થઇને આકાશ માર્ગે જવાની તૈયાર કરી એટલે આ મેલનું પુતળું બોલ્યું કે, ઓ બોન જોગણી મારી વાત સાંભળોને તમે 64 જોગણીઓએ મને મેલના પુતળાને જીવતું કર્યું પણ હવે મારૂં કાંઇ ઠેકાણું પાડતા જાવ. એટલે જોગણી બોલી કે, ઓ મેલના પુતળા જવાય તો જાજે અને ખવાય તો ખાજે આ અસ્માલીયા ઘાંચીની 12 ઘાણીનું તેલ અને 13 મણનો ખીચડો મેલના પુતળા તને આપ્યો...
ફરી પાછું આ મેલનું પુતળું બોલ્યું કે, તમે ખાવાનું આપ્યું તે તો બરાબર પણ ખાવા ઉપર થોડો મુખવાશ આપતા જાવને....
એટલે જોગણી બોલી કે, જવાય તો જાજે અને લેવાય તો લેજે કડીના જીવણ રબારીનો બુટીયો છેલ બકરો તને આપ્યો...
વળી, મેલનું પુતળું બોલ્યું કે, તમે ખાવાનું આપ્યું અને મુખવાશ આપ્યો. આ મુખવાસ ઉપર આસી પાતળી નીશાની આપતી જાવને....
આ 64 જોગણી બોલી કે, જવાય તો જાજે અને પીવાય તો પીજે, અજુડી કલારણનો 12 ભઠીનો દારૂ અને ધોળકાની ધોળી ધોતીના ઓઢણ તને આપ્યા...જા
વળી પાછું મેલનું પુતળું બોલ્યું કે, બુન જોગણી તમે આ બધું આપ્યું પણ તમે તો 64 છો. જો તમે ચોસઠે - ચોસઠ જોગણી મને તમારૂં થોડું થોડુ સત આપો તો મારો મેલના પુતળાનો પાવર થોડો વધારે થઇ જાય.
એટલે આ 64 જોગણી બોલી કે, મેલના પુતળા સાંભળ અમારી 64 જોગણીના થોડા થોડા સત તને આપીએ છીયે પણ તું આ ઘોડાસર ભંમર તળાવની રખેવાડી કરજે. મેલના પુતળા કળયુગમાં તારા નામની જય - જય થાશે. માણસોને અમારી જરૂર પડશે પણ કદાચ અમને આવતાં મોડું થશે અમારી પહેલાં તું પહોંચી જઇશ. આવું વચન આપીને આ 64 જોગણીઓ તેમના માગરે પડી ગઇ.
મેલના પુતળામાંથી ઉત્પન્ન થઇ એટલે આનું નામ “મેલડી“ પડ્યું....
પછી આ મેલડી આ તળાવની રખેવાડી કરવા લાગી. આમ કરતા કરતા એક દિવસ મેલડીએ વીચાર કરીયો કે, લાવને આ જોગણીએ કીધું હતું કે, કડીના જીવણ રબારીનો બુટીયો છેલ બકરો લઇને આવું. મેલડી કડીમાં આવીને જીવણ રબારીના ઘરે આવી. આ જીવણ રબારી અભીમાની અને અહેંકારી હતો. મેલડી ડોસીનું રૂપ લઇને જીવણ રબારીના ઘરે આવીને ઉભી રહી. એટલે જીવણ રબારીએ તેમના કુટુંબને કીધું કે, આ ડોસીને જે ખાવાનું જોઇતું હોય તે આપી દો. એટલે આ ડોસી બોલી કે, મને કાંઇ ખાવાનું જોઇતું નથી. પણ જો આપવું હોય તો જીવણ તમારો આ બુટીયો છેલ બકરો આપો.
એટલે જીવણ બોલ્યો કે, ઓ ડોસી તારા મારગે પડી જા. આ બકરાનું નામ લીધું તો તને માર્યા વગર નહીં મુકું. આ જીવણે તેના માણસોને કીધું કે, આ ડોસીને અહીંથી ઉપાડો અને ગામના સીમાડે મુકી આવો. માણસોએ આ ડોસીને ઉપાડી અને ગામની સીમમાં મુકીને હજું પાછા આવ્યા ન્હાતા ત્યાં આ ડોસી પાછી જીવણ રબારીના ઘરે હાજર થઇ ગઇ.
ડોસી બોલ્યાં કે, જીવણ આ બુટીયો છેલ આપી દે નહીં તો કાલે સવારે જોયા જેવી થશે. જીવણો બોલ્યો કે, ડોસી અહીંથી નાસી જા. એટલે આ મેલડીએ કામણક્રીયા છોડીને જીવણ રબારીના સાત દીકરા અને સાત વહુને માર્યા. જીવણ રબારીને ખબર પડી કે, આ ડોસી કોઇ સામાન્ય ડોસી નથી.
ડોસી સવારે પછી જીવણ રબારીના ઘરે હાજર થઇ અને બોલી કે, જીવણ હજુ સમય છે આ બુટીયો છેલ મને આપી દો. પણ જીવણ હઠીલો માનતો નથી. ડોસી હું જીવણ રબારી મરી જાઉ તે હક્ક વાત છે પણ આ બુટીયો છેલ તો તને નહીં જ આપું.
બીજા દીવસે આ જીવણના શરીરમાં મેલડીના નામનું દુઃખ શરૂ થયું. આ દુઃખ જીવણથી સહન થાતુ નથી. છેલ્લે જીવણે હારીને આ ડોસીને બુટીયો છેલ બકરો આપ્યો. એટલે ડોસી બોલી કે, જીવણ આ બકરો હું એમને એમ નહીં લઉ, તારે મારો માંડવો નાખવો પડશે અને આ માંડવામાં તુ મને આ તારો બુટીયો છેલ આપ.
જીવણ રબારીએ મેલડીનો માંડવો નાખ્યો અને આ માંડવામાં મેલડીને તેનો બુટીયો છેલ આપ્યો. આ બુટીયો છેલ લઇને મેલડી બોલ્યાં કે, જીવણ તારા સાત દીકરા અને તેમની સાત વહુને સ્મશાનમાં જઇને ટહુકો પાડશે. હું મેલડી તને તારા દીકરા અને વહુઓ પાછા અપાવીશ.
પછી મેલડી આ બુટીયો છેલ લઇને અજુડી કલારણના ત્યાં ગઇ. ડોસીનો આવતાર લઇને લાકડીને ટેકે ટેકે અજુડી પાસે જઇને કીધું કે, અજુડી મને બે ગ્લાસ દારૂ આપને બુન..
એટલે અજુડી કલારણ બોલી કે, ડોસી માં તમારી મરવાની ઉંમરે દારૂ પીવા આવ્યાં છો. મારગે પડી જાઓ ડોસી બે ગ્લાસ શું દારૂનું એટ ટીંપુય તને ના આપું. એટલે આ ડોસી બોલ્યાં કે, અજુડી તારે દારૂ ના આપવો હોય તો કાંઇ નહીં પણ તારો દીકરો લાલીયો ક્યાં ગયો છે.??
એટલે અજુડી જુઠુ બોલી કે, મારો લાલીયો ચાર ધામની યાત્રા કરવા ગયો. એટલે આ ડોસી બોલ્યાં કે, ચાર ધામની યાત્રાએ ગયો હોય તો બરોબર અને જો અજુડી તારા ઘરે સૂતો હોય અને તારા દીકરાને હું સૂતો રાખું તો મને ગામના સીમાડે બોલાવવા આવજે. આવું અજુડીને કહીને આ ડોસી ત્યાંથી જતી રહી અને ગામના સીમાડે આવીને બેઠા...
ઉજ્જૈનની મેલડી (પ્રાગટ્યની વાત) 3
.
.
.
બપોર ચઢ્યો પણ આ અજુડીનો દીકરો ઘરે જાગ્યો નહીં, એટલે અજુડી કલારણે તેના ખાટલે જઇને જોયું તો તેનો દીકરો મરતુક પામ્યો હતો. અજુડીને પેલી ડોસીની વાત યાદ આવી. એટલા આ અજુડી કલારણ દારૂના બે ગ્લાસ ભરીને ગામના સીમાડે આવી. ગામના સીમાડે આ ડોસી બેઠા હતાં. આ અજુડીને સમજતાં વાર ન લાગી. અજુડી આ ડોસીના પગમાં પડી ગઇ અને બોલી કે, ડોસીમાં મારા દીકરાને જીવતો કરો. મેલડીએ દારૂનો પ્યાલો લઇને અજુડીના દીકરાને જીવતો કર્યો. અને કીધું કે, હું પીરરીયા પ્રભાતની મેલડી છું. અજુડી હું જ્યારે તને યાદ કરૂં ત્યારે તારે મને તારે તારી 12 ભઠ્ઠીના દારૂની આહૂતિ આપવી પડશે. આમ કહીને આ ડોસી ત્યાંથી નીકળી ગઇ.
વળતાં આવતા- આવતા આ ઘોડાસર ભમ્મર તળાવની બાજુના કુવા પાસેથી આ ડોસી નીકળ્યાં. એટલે ડોસીએ જોયું કે, એક ડોસી, ડોસો અને તેનો છોકરો કાળા પાણીએ રડતા હતા. આ ત્રણેયને રડતા જોઇને મેલડી બોલ્યાં કે, તમે કેમ રડો છો. એટલે આ ત્રણેયે કીધું કે, કાલે સવારે અમારા ઘરનો વારો છો. કાલે ઉજ્જૈનના નૂરીયા ને અમારે 100 મણ ટોઠા, 1 બોટલ દારૂ અને અમારા એકના એક દીકરાનો ભોગ આપવાનો છે. એટલે ડોસી બોલ્યાં કે, તમારા દીકરા સાથે હું પણ જઇશ. એટલે આ ત્રણેય બોલ્યાં કે, તમો કોણ છો?. એટલે આ ડોસી બોલ્યાં કે, હું ઉગતાના પોરની મેલડી છું. જો આ નૂરીયા જોધાની વદા તોડ્યા વગર રહૂં તો મારૂં પીરીયા પ્રભાતની મેલડીની નઇ....
સવારે 100 મણ ટોઠા, એક દારૂની બોટલ અને આ દીકરો ગાડામાં બેઠા. સાથે આ મેલડી પણ ડોસીનો અવતાર લઇને ગાડામાં આવી. ગાડુ ઉજ્જૈનના મારગે પડ્યું. ઉજ્જૈન આવ્યું એટલે આ મેલડી બોલ્યાં કે, દીકરા તું અહીં ઉતરી જા. હું નૂરીયા પાસે આ 100 મણ ટોઢા, દારૂની બોટલ લઇને જાઉ છું.
આ નૂરીયો મેલી વીધ્યાનો બાદશાહ હતો. ઉજ્જૈન ઉપરથી નીકળતા દેવી- દેવતાઓની આ નૂરીયો મેલી વીધ્યાથી પરીક્ષા લેતો. અને હેરાન કરતો. આ નૂરીયાથી લોકો તો ઠીક પરંતુ દેવી- દેવતાઓ પણ ત્રાસી ગયા હતા. અને આ નૂરીયા પાસે પહોંચવા માટે તેની ચાર ચોકીઓ હતી. (1) લાલવાદી- ફુલવાદીની ચોકી, (2) ખીમલો ભુતની ચોકી, (3) ગલકા ડોસીની ચોકી અને (4) ઝાંઝુડી ઝોપડી ની ચોકી. આ ચાર ચોકી પાર કરીને જ નૂરીયા સુધી પહોંચી શકાય.
આ ડોસી નૂરીયાની પહેલી ચોકી એટલે લાલવાદી- ફુલવાદીની ચોકીએ આવ્યા. આ બન્ને વાદીઓએ આ ડોસીને રોકી અને પૂછ્યું કે, ડોસીમાં તમારે ક્યાં જવું છે. એટલે ડોસી બોલ્યાં કે, મારે નૂરીયાને મળવા જવું છે. એટલે આ વાદી બોલ્યાં કે, એમ તમને નૂરીયા પાસે ના જવા દેવાય. એટલે મેલડી બોલ્યાં તો તમારી ચોકી મુકો. હુ હટાવી દઉ તો તમારે મને જવા દેવી પડશે... એટલે લાલવાદી- ફુલવાદી બોલ્યા કે, અમારી પાસે એક 73 મણનો લોખંડનો ધોકો છે, આ ધોકો હટાવી દો તો તમને નૂરીયા પાસે જવા દઇએ.
આ વાદીએ 73 મણનો ધોકો રસ્તા ઉપર મુક્યો એટલે આ ડોસીને ડાબા પગના એક જ ઠેબે આ 73 મણનો ધોકાને ખસેડી દીધો અને આ બન્ને વાદીઓને મેલડીએ તેની ખખડેલી લાકડી પકડાવી દીધી. આ વાદીઓ આ લાકડીનો ભાર ખમી શક્યા નહીં. અને મેલડીની લાકડી સાથે ચોટી ગયા.
બીજી ચોકી એટલે કે, ખીમલા ભુત (ભુતીયા વડ)ની ચોકીએ મેલડી આવી. એટલે આ ખીમલા ભુતે આ ડોસીને રોક્યાં અને પૂછ્યું કે, ડોસી ક્યાં ચાલ્યા આવો છો. અને આ લાલવાદી- ફુલવાદી ક્યાં મરી ગયા કે તમને અંદર આવવા દીધા. એટલે મેલડી બોલ્યાં કે, હું નૂરીયાને મળવા આવી છું. મને જવા દો. એટલે ખીમલો ભુત બોલ્યો કે, ડોસીમાં અહીંથી પાછી જતી રે. તને નૂરીયા પાસે તો ના જાવા દઉ. પછી મેલડી બોલ્યાં કે, ખીમલા તુ ભલે મને નૂરીયા પાસે ના જાવા દે પણ તારા માટે હું પાલનપુરનો ગાંજો લાવી છું. લે આ સલમ અને બે ફુંક માર. આ ખીમલે વીચાર્યું કે, આ સલમમાં છું છે. ખીમલે સલમની બે ફુંક મારી કે, ખીમલાને છ મહીનાના ઘેનમાં મેલડીએ ઉતારી દીધો. અને આ ડોસી ત્યાંથી નીકળી ત્રીજી ચોકી એટલે કે, ગલકા ડોસીની ચોકીએ આવી.
ગલકા ડોસીએ મેલડીને રોકી અને પૂછ્યું કે, તમે ક્યાંથી આવો અને તમારે ક્યાં જવું છે. એટલે આ ડોસી બોલ્યાં કે, હું ગુજરાતથી આવું છું અને મારે નૂરીયાને મળવા જાઉ છે. એટલે આ ગલકા ડોસી બોલ્યાં કે, બેન હું નૂરીયાને પૂછી લઉ પછી તમે નૂરીયાને મળો. એટલે મેલડી બોલ્યાં કે, નૂરીયા પછી પૂછજો પહેલા હું તમારા માટે ગુજરાતની છીકણી લાવી છું. એટલે આ ગલકા ડોસીએ મેલડીની છીકણી મોંઢામાં મુકી કે, આ ગલકા ડોસીને 3 વરસની ઢીંગલી બનાવી દીધી. અને કીધું કે, ગલકા ડોસી અહીં બેસો હું વળતી આવીને તમને છોડીશ. અને મેલડી નૂરીયાની ચોથી ચોકીએ આવી ઉતરી.
આ ચોથી ચોકી નૂરીયાના માં ઝાંઝુડી ઝોપડીની હતી. આ ઝાંઝુડી ઝોપડીએ મેલડીને ચોથી ચોકીએ રોકી. એટલે મેલડીએ ઝાંઝુડીને વાતે વાળીને કીધું કે, ઝાંઝુડી તું ભલે 900 સાધુની નાત સાથે ગુજરાતભરમાં ફરી હોય પણ તે મહીસાગરનો મેવો નહીં કાધો હોય. જો ઝાંઝુડી તારે મેવો ખાવો હોય બોલ. ઝાંઝુડીએ માવો ખાધો અને મેલડીએ ઝાંઝુડીને સ્વર્ગના મારગે મોકલી દીધી. અને નૂરીયાને મેલડીએ લલકાર્યો.
મેલડીએ વીચાર્યું કે, નૂરીયાને જો એમને એમ મારી નાખું તો મને મેલડીને કોણ ઓળખશે. એટલે મેલડી બોલી કે, નૂરીયા તારી જેટલી મેલી વીધ્યા હોય એટલી મારા ઉપર અજમાવ. તારી બધી મેલી વીધ્યાનો જવાબ તને હું ઉગતાની મેલડી ના આપું તો મને કહેજે... અને ઉજ્જૈના પાદરમાં મેલડી અને નૂરીયાની વચ્ચે મેલી વધ્યાની રમત ચાલુ થઇ. આ મેલડી અને નૂરીયાની રમત જોવા 33 કરોડ દેવી- દેવતાઓ ઉમટ્યા હતા.
ઉજ્જૈનની મેલડી (પ્રાગટ્યની વાત) - 4
.
.
મેલડી અને નૂરીયા વચ્ચે ઉજ્જૈનના પાદરમાં મેલી વીધ્યાની રમત ચાલુ થઇ. આ રમતમાં મેલડીએ પહેલો દાવ નૂરીયાને આપ્યો. એટલે નૂરીયે કામણક્રીયા કરને એક 500 મણનો લોખંડની અણીવારો કોરડો (ચાબુક) બનાવ્યો. અને કીધું કે, ડોસી હું તને આ બે કોરડા મારૂં જો તું બચી જાય તો બીજી રમત ચાલુ કરીએ. એટલે આ નુરીયે આ ડોસીને બે કોરડા માર્યા પણ ડોસીને જાણે કાંઇ અસર જ ન થઇ હોય તેમ ખડખડાટ હસવા માંડી. અને પછી મેલડીએ બોલી કે, હવે નૂરીયો મારો વારો. અને મેલડીએ એક નાની એવી ખખડેલી લાકડી નૂરીયાના બઇડા ઉપર મારી અને નૂરોયોના મોઢામાંથી ચીસ નીકળી ગઇ. એટલે આ નૂરીયો ઓળખી ગયો કે, આ ડોસી કોઇ સામાન્ય નથી.
પછી નૂરીયો બોલ્યો કે, ડોસી મારી બીજી રમત જો. અને નૂરીયે મેલી વીધ્યાથી એક લોખંડનો ગોળો બનાવ્યો. આ ગોળાની નીચે અગ્ની પ્રગટાવી. અને ડોસીને કીધું કે, ડોસી તું આ ગોળાની અંદર સાડા ત્રણ દીવસ રહીને બતાવ. એટલે મેલડી આ નૂરીના બનાવેલા ગોળામાં ઉતરી. સાડા ત્રણ દીવસ પછી નૂરીયાને એમ થયું કે, આ ડોસી મરી ગઇ હશે. પણ નૂરીયે જેવો આ ગોળો ખોલ્યો તો ડોસી બોલી કે, નૂરીયા તારી ત્રીજી રમત અજમાવ. મારે ડોસીને તારી ત્રીજી રમત જોવી છે.
એટલે નૂરીયાને નક્કી થઇ ગયું કે, આ કોઇ દેવી છે. મને માર્યા વગર નહીં મુકે. એટલે નૂરીયે તેની ત્રીજી રમત અજમાવી. અને એક મરેલી ગાય લઇ આવ્યો. અને ડોસીને કીધું કે, ડોસી આ ગાયના પેટના પીંજરામાં એક દીવસ રહીને બતાવ. નુરીયાને એમ કે કોઇ દેવી હશે તો આ મરેલી ગાયના પેટમાં નહીં ઉતરે. પણ મેલડીએ અજુડી કલારણને યાદ કરીને અને અજુડીએ મેલડીને દારૂની અાહૂતી આપી. મેલડી દારૂ પીને મરેલી ગાયના પેટમાં ઉતરી. એક દીવસ પછી મેલડી આ ગાયના પેટમાંથી નીકળી અને બોલી કે, દીકરા નૂરીયા તારી બીજી મેલી વીધ્યા મારી ડોસી ઉપર ચલાવ.
નૂરીયો બોલ્યો કે, હવે મારી પાસે કોઇ મેલી વીધ્યા નથી. અને નૂરીયો ડોસીની નજીક આવ્યો અને ડોસીને છેતરીને છરીનો ઘા મારવા ગયો ત્યાં મેલડીએ તેને પછાડ્યો. અને તેની છાતી ઉપર એક લાત મારી કે, નૂરીયાને પાતાળમાં ઉતારી દીધો. અને નૂરીયાને મેલડી માર્યો. પછી મેલડી ઉજ્જૈનના કાંગરે બેઠી. ત્યારથી આ મેલડી ઉજ્જૈનના ઝંડાની મેલડી કહેવાણ

0 ટિપ્પણીઓ